સર એમ વિશ્વેસ્વરાયા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બેંગલુરુ, કર્ણાટક—દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 09 ઓકટોબર 2018 સર એમ વિશ્વેસ્વરાયા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બેંગલુરુ, કર્ણાટક—દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી સર એમ વિશ્વેસરાયા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બેગલુરૂ, કર્ણાટક પર આરબીઆઈના તારીખ 31 ઓકટોબર 2011ના પરિપત્ર યુબીડી. બીપીડી. (પીસીબી) નંબર 7/09.22.010/2011-12 ના પેરા 2માં સમાવિષ્ટ નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પ્રત્યેક લાભાર્થીને ₹ 70.00 લાખથી વધુ રકમની હાઉસીંગ લોન મંજૂર કરવા બદલ તથા આરબીઆઈના તારીખ 30 ઓગસ્ટ 2013ના પરિપત્ર યુબીડી. બીપીડી. (પીસીબી) નંબર 7/09.72.000/2013-14નું ઉલ્લંઘન કરીને જેમાં બેન્કના એક ડાયરેક્ટર એડમિનિસ્ટ્રેટર હતા એવા ટ્રસ્ટને દાન આપવા બદલ ₹ 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને નાણાકીય દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/824 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: