આરબીઆઈ સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ પર દંડ લગાવે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઓન-સાઈટ એટીએમ ખોલવા સંબંધિત સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો તથા તેના પર મૌખિક રજૂઆતો પણ કરી હતી. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2275 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: