બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી આર.એસ. કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
જાન્યુઆરી 25, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની ધી આર.એસ. કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ જૂન 24, 2015 ના નિર્દેશ થકી જૂન 24, 2015 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ મૂકવામાં આવેલ હતી. નિર્દેશની વૈધતા સમયે સમયે લંબાવવામાં આવેલ હતી અને તેમાં સમયે સમયે સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લો નિર્દેશ તારીખ જુલાઈ 02, 2018 ના રોજનો હતો અને જે તારીખ જાન્યુઆરી 25, 2019 સુધી, સમીક્ષાને આધિન, વૈધ હતો. આથી જાહેર જનતાની માહીતિ અર્થે અધિસૂચિત કરવામાં આવે છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં એમ નિર્દેશ કરે છે કે – ધી આર.એસ. કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને જારી કરવામાં આવેલ તારીખ જૂન 24, 2015, કે જે સમયે સમયે સુધારવામાં આવેલ છે, અને જેની વૈધતા છેલ્લે તારીખ જુલાઈ 02, 2018ના નિર્દેશ થકી તારીખ જાન્યુઆરી 25, 2019 સુધી લંબાવવામાં આવેલ હતી, તે નિર્દેશ બેંકને, તારીખ જાન્યુઆરી 16, 2019 ના નિર્દેશ થકી, વધુ ચાર મહિનાની અવધિ માટે એટલે કે જાન્યુઆરી 26, 2019 થી મે 25, 2019 સુધી, સમીક્ષાને આધિન, લાગૂ રહેશે જનતાના અવલોકનાર્થે બેંકના પરિસરમાં તારીખ જાન્યુઆરી 16, 2019ના નિર્દેશની પ્રતિલિપિ પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત સુધારો કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકની નાણાકીય સ્થિતિમાં થયેલ મૌલિક સુધારાથી સંતુષ્ટ છે. શૈલજા સિંઘ પ્રેસ પ્રકાશન : 2018-2019/1744 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: