બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને નિર્દેશ કરવામાં આવે છે કે 10 જુલાઈ 2017 ના રોજ ધંધા ની બંધ થતી તારીખ થી તે ભારતીય રિઝર્વ બેંક ની અગાઉ થી લેખિત પરવાનગી મેળવ્યા વગર કોઈ લોન કે એડવાન્સ આપી કે રીન્યુ કરી શકશે નહિ, કોઈ રોકાણ કરી શકશે નહિ, નવી ડીપોઝીટ અને નાણા ઉધાર લેવા જેવી કોઈ જવાબદારી ઉભી કરી શકશે નહિ, તેની જવાબદારી કે ઓબ્લીગેશન ડીસ્ચાર્જ કરવા પેમેન્ટ કરી શકશે નહિ કે કોઈ કોમ્પ્રોમાઈઝ કે એમાલ્ગમેશન અને મિલકતો કે પ્રોપર્ટી નું વેચાણ, ટ્રાન્સફર કે અન્ય રીતે નિકાલ કરી શકશે નહિ.અલબત્ત, નીચેની મર્યાદા માં અને નીચેની રીતે તે:
ભારતીય રિઝર્વ બેંક ની ચોક્કસ લેખિત પરવાનગી લીધા વગર તે ઓચિંતી અન્ય જવાબદારી ઉભી નહિ કરી શકે જાહેર જનતા ના રસ ધરાવતા સભ્યો ના અવલોકન માટે આ નિર્દેશો ની નકલ બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક સંજોગો ને અધીન આ નિર્દેશો માં સુધારા કરી શકે છે. આરબીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો નો મતલબ એ નથી કે આરબીઆઇએ, આ બેંક નું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક પ્રતિબંધ સાથે બેન્કિંગ નો ધંધો ચાલુ રાખી શકશે. આ નિર્દેશો 10 જુલાઈ 2017 ના રોજ ધંધા ની બંધ થતી તારીખ થી 6 મહિના માટે અમલ માં રહેશે જે વખતો વખત કરાતી સમીક્ષા ને અધીન રહેશે . શૈલજા સિંઘ પ્રેસ જાહેરાત : 2017-2018/101 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: