બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (બીએસબીડીએ)
વર્તમાનનાં એ બધાં ‘ નો ફ્રીલ’ ખાતાંઓને બીએસબીડીએ તરીકે ન ગણવાં જોઈએ જે 11 નવેમ્બર, 2005 ના પરિપત્ર ક્રમાંક DBOD No. Leg. BC. 44/09.07.005/2005 – 06 દ્વારા જારી માર્ગદર્શિકાઓના અનુસરણમાં ખોલવામાં આવ્યા હોય અને જેમને10 ઑગસ્ટ 2012 ના પરિપત્ર ક્રમાંક DBOD No. Leg. BC. 35/09.07.005/212-13 ની માર્ગદર્શીકા મુજબ બીએસબીડીએમાં પરિવર્તીત કરી દેવામાં આવ્યાં હોય અને જે ઉક્ત પરિપત્ર હેઠળ નવાં ખોલવામાં આવ્યાં હોય
ના, ‘નો ફ્રીલ ‘અકાઉન્ટ્સ પર 11 નવેમ્બર 2005 ના પરિપત્ર ક્રમાંક DBOD.No. Leg. BC.44/09.07.005/2005-06 મુજબ સૂચનાઓની ઉપરવટ થઈને બૅન્કોને હવે તેમના બધા ગ્રાહકોને ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ ‘પ્રદાન કરવા માટે 10 ઑગસ્ટ 2012 ના પરિપત્ર ક્રમાંક DBODNo. Leg. BC.35/09.07.005/2012-13 દ્વારા સૂચિત કરાયું છે જેમાં તેમાં વર્ણિત પ્રકાર મુજબ લઘુતમ સામાન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. બૅન્કો પાસે એ અપેક્ષિત છે કે તેઓ તેમના વર્તમાન ‘ નો ફ્રિલ્સ ‘ અકાઉન્ટ્સને ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ માં પરિવર્તીત કરી નાખે.
ના, બૅન્કોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વ્યક્તિઓના સંદર્ભમાં બીએસબીડીએ ખોલવા માટે ઉંમર અને આવકના માપદંડ જેવા પ્રતિબંધ ન મૂકે.
‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ લાગુ કરવાનો હેતુ દેખીતી રીતે જ આરબીઆઈના નાણાંકીય સમાવેશનના ઉદ્દેશોને આગળ વધારવાના પ્રયાસનો જ એક ભાગ છે. 11 નવેમ્બર , 2005 ના પરિપત્ર ક્રમાંક DBOD.No.Leg.BC.44/09.07.005/2005-06 દ્વારા ‘નો ફ્રીલ ‘રૂપે ખોલાયેલા બધાં ખાતાંઓનાં નામ બદલીને 10 ઑગસ્ટ, 2012 ના પરિપત્ર ક્રમાંક DBOD. No. Leg. BC. 35/09.07.005/2012-13 ના પૅરા 2 માં અપાયેલી સૂચનાઓ મુજબ બીએસબીડીએનાં નવાં નામ આપવાં જોઈએ. તેમ જ અમારા તારીખ 10 ઑગસ્ટ, 2012 ના જારી કરાયેલા પરિપત્ર ક્રમાંક DBOD.No.Leg.BC.35 પછી ખોલાયેલાં બધાં નવાં અકાઉન્ટ બૅન્કો દ્વારા RPCD,CO. ને સુપરત કરાયેલા નાણાંકીય સમાવેશન પ્લાન્સના પ્રગતિ અહેવાલ હેઠળ નોંધાવા જોઈએ.
‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ ‘પીએમએલ ધારા અને નિયમોની જોગવાઈઓને આધીન હશે અને તેમના પર બૅન્ક ખાતાં ખોલવા માટે તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)/ઍન્ટિ મની લૉન્ડરિંગ(એએમએલ) અંગે વખતો વખત જારી કરાયેલી આરબીઆઈની સૂચનાઓ લાગુ પડશે.બીએસબીડીએ સરળ બનાવાયેલ કેવાયસીને આધારે પણ ખોલી શકાશે. તેમ જ, જો સરળ બનાવાયેલ કેવાયસીને આધારે બીએસબીડીએ ખોલવામાં આવશે તો આ ખાતાંઓને વધારાના રૂપમાં ‘બીએસબીડીએ’ –નાનું ખાતું ગણવામાં આવે અને તેના પર આવાં ખાતાંઓ માટે નિર્દિષ્ટ કરાયેલી 2 જુલાઈ, 2012ના અમારા માસ્ટર પરિપત્ર ક્રમાંક DBOD.AML.BC.No. 11/14.01.001/2012-13 ના પૅરા 2.7 માં ઉલ્લેખિત શરતો લાગુ પડશે.
ના, બીએસબીડીએ ગ્રાહક એ જ બૅન્કમાં કોઈ અન્ય બચત બૅન્ક ખાતું ધરાવી નહીં શકે. જો બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ સરળ બનાવાયેલા કેવાયસી માપદંડોને આધારે ખોલવામાં આવે તો આ ખાતાને વધારાના રૂપમાં એક ‘નાના ખાતા ‘તરીકે ગણવામાં આવશે અને તેના પર આવાં ખાતાઓ માટે નિર્ધારિત શરતો લાગુ પડશે જે ‘કેવાયસી નિયમો/એએમએલ સ્ટાન્ડર્ડસ/નાણાંકીય આતંકવાદને ડામવો(સીએફટી)/પીએમએલએ, 2002 હેઠળ બૅન્કોની જવાબદારી ‘ પર 02 જુલાઈ 2012 ના અમારા માસ્ટર પરિપત્ર ક્રમાંક DBOD.AML.BC.No.11/14.01.001/2012-13 ના પૅરા 2.7 માં ઉલ્લેખિત છે.
તારીખ 16 મી ડિસેમ્બર 2010 ના રોજ મુજબના ભારત સરકારના જાહેરનામા મુજબ બીએસબીડીએ – નાનાં ખાતાં નિમ્નલિખિત શરતોને આધીન રહેશે.
- આવા ખાતાઓમાં કુલ ક્રેડિટ એક વર્ષમાં એક લાખ રૂપિયા કરતાં વધુ ન હોય.
- ખાતામાં મહત્તમ બૅલેન્સ કદી પણ પચાસ હજાર રૂપિયાથી વધુ ન હોવું જોઈએ.
- કોઈ મહિનામાં રોકડ ઉપાડ અને ટ્રાન્સફર્સના રૂપમાં કુલ ડેબિટ્સ દસ હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- સામાન્ય કેવાયસી ઔપચારિકતાઓ પૂરી કર્યા વગર વિદેશી રેમિટન્સીસ નાના ખાતા માટે જમા (ક્રેડિટ) નહીં કરી શકાય.
- નાના ખાતાં શરૂઆતમાં 12 મહિનાની મુદત માટે માન્ય હોય છે. જેને જો વ્યક્તિ સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ માટે અરજી કરવાના પુરાવા તરીકે રજુ કરે તો બીજા 12 મહિના માટે લંબાવી શકાય.
- નાનાં ખાતાં બૅન્કોની માત્ર સીબીએસ સાથે સંકળાયેલી શાખાઓમાં જ અથવા એવી શાખાઓમાં ખોલી શકાય છે જ્યાં શરતોને પાળવાની વ્યક્તિ. દ્વારા (મૅન્યુઅલી ) તપાસ શક્ય છે.
હા,કૃપા કરી ઉપરોકત (પ્રશ્ર્ન ક્રમાંક 13 ) નો ઉત્તર જુઓ. અલબત જો બૅન્ક કોઈ વધારાનો ચાર્જ ન લગાવે અને મિનિમમ બૅલેન્સ વગર બીડીબીડીએ ખાતાંઓ હેઠળ નિર્ધારિત એ સેવાઓ સિવાય મફતમાં વધુ સુવિધાઓ આપે તો એવાં ખાતાં બીએસબીડીએ રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે.
બૅન્કોએ કોઈ પણ ચાર્જીસ કે એટીએમ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવો જોઈએ અને આવાં કાર્ડ્સ પર કોઈ વાર્ષિક ચાર્જીસ વસૂલવા ન જોઈએ.
હા, બીએસબીડીએધારકોને તારીખ 4 ઑકટોબર 2006 ના પરિપત્ર ક્રમાંક DBOD.No. Leg. BC.32/09.07.005/2006-07 માં અમારી આપાયેલી સૂચનાઓ મુજબ મફતમાં પાસબુકની સુવિધા અપાવી જોઈએ.
બીએસબીડીએમાં બૅન્કો પાસે અપેક્ષિત છે કે તેઓ એટીએમ અને અન્ય માધ્યમથી નાણાં ઉપાડ સહિત ઓછામાં ઓછી ચાર વાર મફતમાં નાણાં ઉપાડ ઉપલબ્ધ કરાવે. ચાર વાર નાણાં ઉપાડ પછી એ બૅન્ક પર આધાર રાખશે કે એ વધારાના નાણાં ઉપાડ મફતમાં આપે કે તેને માટે ચાર્જ વસૂલે. અલબત, બૅન્કો દ્વારા મૂલ્યન સંરચના ઉચિત, ભેદભાવ રહિત, પક્ષપાત રહિત અને પારદર્શી રીતે તૈયાર કરવામાં આવે.
અમારી સૂચનાઓ ધરાવતા તારીખ 25 જાન્યુઆરી 2012 ના પરિપત્ર ક્રમાંક DBOD Dir. BC 75/13.03.00/ 2011-12 મુજબ સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટના વ્યાજ દરનું વિનિયમન ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ ‘માં રહેલી ડિપૉઝિટ્સ પર લાગુ પડશે.
તારીખ 10 ઑગસ્ટ, 2012 ના DPSS. CO.CHD. No. 274/03.01.02/2012-13
મુજબ બીએસબીડીએ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાતી લઘુતમ સુવિધાઓમાં ચેકબુકની સુવિધાની પરિકલ્પના બીએસબીડીએમાં કરવામાં આવી નથી. બૅન્ક નિ:શુલ્ક ચેક બુક સુવિધા સહિત કોઈ પણ વધારાની સુવિધા (જે કિસ્સામાં ખાતું બીએસબીડીએ તરીકે જળવાઈ રહે છે) અથવા વધારાની સુવિધાઓ માટે ચાર્જીસ વસૂલવા(જે કિસ્સામાં ખાતું બીએસબીડીએ નથી હોતું) માટે સ્વતંત્ર છે.
પેજની છેલ્લી અપડેટની તારીખ: