RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

FAQ DetailPage Breadcrumb

RbiFaqsSearchFilter

Content Type:

Category Facet

category

Custom Facet

ddm__keyword__26256231__FaqDetailPage2Title_en_US

Search Results

બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (બીએસબીડીએ)

વર્તમાનનાં એ બધાં ‘ નો ફ્રીલ’ ખાતાંઓને બીએસબીડીએ તરીકે ન ગણવાં જોઈએ જે 11 નવેમ્બર, 2005 ના પરિપત્ર ક્રમાંક DBOD No. Leg. BC. 44/09.07.005/2005 – 06 દ્વારા જારી માર્ગદર્શિકાઓના અનુસરણમાં ખોલવામાં આવ્યા હોય અને જેમને10 ઑગસ્ટ 2012 ના પરિપત્ર ક્રમાંક DBOD No. Leg. BC. 35/09.07.005/212-13 ની માર્ગદર્શીકા મુજબ બીએસબીડીએમાં પરિવર્તીત કરી દેવામાં આવ્યાં હોય અને જે ઉક્ત પરિપત્ર હેઠળ નવાં ખોલવામાં આવ્યાં હોય

ના, ‘નો ફ્રીલ ‘અકાઉન્ટ્સ પર 11 નવેમ્બર 2005 ના પરિપત્ર ક્રમાંક DBOD.No. Leg. BC.44/09.07.005/2005-06 મુજબ સૂચનાઓની ઉપરવટ થઈને બૅન્કોને હવે તેમના બધા ગ્રાહકોને ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ ‘પ્રદાન કરવા માટે 10 ઑગસ્ટ 2012 ના પરિપત્ર ક્રમાંક DBODNo. Leg. BC.35/09.07.005/2012-13 દ્વારા સૂચિત કરાયું છે જેમાં તેમાં વર્ણિત પ્રકાર મુજબ લઘુતમ સામાન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. બૅન્કો પાસે એ અપેક્ષિત છે કે તેઓ તેમના વર્તમાન ‘ નો ફ્રિલ્સ ‘ અકાઉન્ટ્સને ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ માં પરિવર્તીત કરી નાખે.

ના, એક વ્યક્તિ એક બૅન્કમાં માત્ર એક જ ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ ધરાવવાને પાત્ર છે.
શું ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ ધારક એ જ બૅન્કમાં અન્ય સેવિંગ અકાઉન્ટ રાખી શકે ?
હા, વ્યક્તિ જે બૅન્કમાં તેનું ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ હોય ત્યાં ટર્મ/ફિકસ્ડ ડિપૉઝિટ, રિકરિંગ ડિપૉઝિટ વગેરે જેવા અકાઉન્ટ્સ ધરાવી શકે છે.
ના, ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ” શાખાઓના માધ્યમથી બધા ગ્રાહકોને ઉપલબ્ધ સામાન્ય બૅન્કિંગ સેવાના રૂપમાં ગણવું જોઈએ.

ના, બૅન્કોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વ્યક્તિઓના સંદર્ભમાં બીએસબીડીએ ખોલવા માટે ઉંમર અને આવકના માપદંડ જેવા પ્રતિબંધ ન મૂકે.

‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ લાગુ કરવાનો હેતુ દેખીતી રીતે જ આરબીઆઈના નાણાંકીય સમાવેશનના ઉદ્દેશોને આગળ વધારવાના પ્રયાસનો જ એક ભાગ છે. 11 નવેમ્બર , 2005 ના પરિપત્ર ક્રમાંક DBOD.No.Leg.BC.44/09.07.005/2005-06 દ્વારા ‘નો ફ્રીલ ‘રૂપે ખોલાયેલા બધાં ખાતાંઓનાં નામ બદલીને 10 ઑગસ્ટ, 2012 ના પરિપત્ર ક્રમાંક DBOD. No. Leg. BC. 35/09.07.005/2012-13 ના પૅરા 2 માં અપાયેલી સૂચનાઓ મુજબ બીએસબીડીએનાં નવાં નામ આપવાં જોઈએ. તેમ જ અમારા તારીખ 10 ઑગસ્ટ, 2012 ના જારી કરાયેલા પરિપત્ર ક્રમાંક DBOD.No.Leg.BC.35 પછી ખોલાયેલાં બધાં નવાં અકાઉન્ટ બૅન્કો દ્વારા RPCD,CO. ને સુપરત કરાયેલા નાણાંકીય સમાવેશન પ્લાન્સના પ્રગતિ અહેવાલ હેઠળ નોંધાવા જોઈએ.

‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ ‘પીએમએલ ધારા અને નિયમોની જોગવાઈઓને આધીન હશે અને તેમના પર બૅન્ક ખાતાં ખોલવા માટે તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)/ઍન્ટિ મની લૉન્ડરિંગ(એએમએલ) અંગે વખતો વખત જારી કરાયેલી આરબીઆઈની સૂચનાઓ લાગુ પડશે.બીએસબીડીએ સરળ બનાવાયેલ કેવાયસીને આધારે પણ ખોલી શકાશે. તેમ જ, જો સરળ બનાવાયેલ કેવાયસીને આધારે બીએસબીડીએ ખોલવામાં આવશે તો આ ખાતાંઓને વધારાના રૂપમાં ‘બીએસબીડીએ’ –નાનું ખાતું ગણવામાં આવે અને તેના પર આવાં ખાતાંઓ માટે નિર્દિષ્ટ કરાયેલી 2 જુલાઈ, 2012ના અમારા માસ્ટર પરિપત્ર ક્રમાંક DBOD.AML.BC.No. 11/14.01.001/2012-13 ના પૅરા 2.7 માં ઉલ્લેખિત શરતો લાગુ પડશે.

ના, બીએસબીડીએ ગ્રાહક એ જ બૅન્કમાં કોઈ અન્ય બચત બૅન્ક ખાતું ધરાવી નહીં શકે. જો બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ સરળ બનાવાયેલા કેવાયસી માપદંડોને આધારે ખોલવામાં આવે તો આ ખાતાને વધારાના રૂપમાં એક ‘નાના ખાતા ‘તરીકે ગણવામાં આવશે અને તેના પર આવાં ખાતાઓ માટે નિર્ધારિત શરતો લાગુ પડશે જે ‘કેવાયસી નિયમો/એએમએલ સ્ટાન્ડર્ડસ/નાણાંકીય આતંકવાદને ડામવો(સીએફટી)/પીએમએલએ, 2002 હેઠળ બૅન્કોની જવાબદારી ‘ પર 02 જુલાઈ 2012 ના અમારા માસ્ટર પરિપત્ર ક્રમાંક DBOD.AML.BC.No.11/14.01.001/2012-13 ના પૅરા 2.7 માં ઉલ્લેખિત છે.

તારીખ 16 મી ડિસેમ્બર 2010 ના રોજ મુજબના ભારત સરકારના જાહેરનામા મુજબ બીએસબીડીએ – નાનાં ખાતાં નિમ્નલિખિત શરતોને આધીન રહેશે.

  1. આવા ખાતાઓમાં કુલ ક્રેડિટ એક વર્ષમાં એક લાખ રૂપિયા કરતાં વધુ ન હોય.
  2. ખાતામાં મહત્તમ બૅલેન્સ કદી પણ પચાસ હજાર રૂપિયાથી વધુ ન હોવું જોઈએ.
  3. કોઈ મહિનામાં રોકડ ઉપાડ અને ટ્રાન્સફર્સના રૂપમાં કુલ ડેબિટ્સ દસ હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
  4. સામાન્ય કેવાયસી ઔપચારિકતાઓ પૂરી કર્યા વગર વિદેશી રેમિટન્સીસ નાના ખાતા માટે જમા (ક્રેડિટ) નહીં કરી શકાય.
  5. નાના ખાતાં શરૂઆતમાં 12 મહિનાની મુદત માટે માન્ય હોય છે. જેને જો વ્યક્તિ સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ માટે અરજી કરવાના પુરાવા તરીકે રજુ કરે તો બીજા 12 મહિના માટે લંબાવી શકાય.
  6. નાનાં ખાતાં બૅન્કોની માત્ર સીબીએસ સાથે સંકળાયેલી શાખાઓમાં જ અથવા એવી શાખાઓમાં ખોલી શકાય છે જ્યાં શરતોને પાળવાની વ્યક્તિ. દ્વારા (મૅન્યુઅલી ) તપાસ શક્ય છે.
બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટમાં ઉપલબ્ધ નિ:શુલ્ક સેવાઓમાં છે – રોકડ જમા કરવી અને ઉપાડવી, ઇલેક્ટ્રૉનિક ચુકવણીની ચૅનલો દ્વારા અથવા બૅન્ક શાખાઓ તેમ જ એટીએમમાં ચેક જમા કરવા/ચેકોની વસૂલીના રૂપમાં ‘પ્રાપ્તિ’/ નાણાં જમા(ક્રેડિટ)
બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટમાં ઉપલબ્ધ નિ:શુલ્ક સેવાઓમાં છે – રોકડ જમા કરવી અને ઉપાડવી, ઇલેક્ટ્રૉનિક ચુકવણીની ચૅનલો દ્વારા અથવા બૅન્ક શાખાઓ તેમ જ એટીએમમાં ચેક જમા કરવા/ચેકોની વસૂલીના રૂપમાં ‘પ્રાપ્તિ’/ નાણાં જમા(ક્રેડિટ) બીએસબીડીએ ખોલવા માટે કોઈ પ્રારંભિક લઘુતમ ડિપૉઝિટ રાખવી જરૂરી નથી.
હા, અલબત, લઘુતમ નિર્ધારિત સેવાઓ સિવાય વધારાની સેવાઓની સંમતિ આપવાનો નિર્ણય બૅન્કોની મુનસફી પર છોડવામાં આવ્યો છે, જેઓ કાં તો વધારાની સેવાઓ નિ:શુલ્ક આપી શકે છે અથવા એક ઉચિત અને પારદર્શી આધાર પર વધારાની મૂલ્યવર્ધિત (વૅલ્યુ એડેડ) સેવાઓ માટે મૂલ્યન સંરચના સહિત એવી અપેક્ષાઓ નિર્દિષ્ટ કરી શકે છે જેમને ગ્રાહકોને પૂર્વ સૂચના આપી એક નિષ્પક્ષપાતી રૂપમાં લાગુ કરવાની રહેશે. બૅન્કો પાસેથી અપેક્ષિત છે કે તેઓ એક ઉચિત મૂલ્યન સંરચના સ્થાપિત કરે અથવા મિનિમમ બૅલેન્સ રાખવાની જરૂરત નિર્ધારિત કરે જેને સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવે અને સાથોસાથ ખાતું ખોલતી વખતે ગ્રાહકોને તે જણાવવામાં આવે.આવી વધારાની સેવાઓ આપવી બધા ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ’ ધારકો માટે મુનસફી રહિત, પક્ષપાત રહિત અને પારદર્શી હોવું જોઈૃએ. અલબત વધારાની સુવિધાઓયુક્ત આવાં ખાતાઓને બીએસબીડીના રૂપમાં નહીં ગણવામાં આવે.

હા,કૃપા કરી ઉપરોકત (પ્રશ્ર્ન ક્રમાંક 13 ) નો ઉત્તર જુઓ. અલબત જો બૅન્ક કોઈ વધારાનો ચાર્જ ન લગાવે અને મિનિમમ બૅલેન્સ વગર બીડીબીડીએ ખાતાંઓ હેઠળ નિર્ધારિત એ સેવાઓ સિવાય મફતમાં વધુ સુવિધાઓ આપે તો એવાં ખાતાં બીએસબીડીએ રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે.

ના, બીએસબીડીએમાં બૅન્કો પાસે અપેક્ષિત છે કે તેઓ એટીએમ અને અન્ય માધ્યમ જેમાં આરટીજીએસ/એનઈએફટી/ ક્લિઅરીંગ/ શાખામાંથી નાણાં ઉપાડ/ ટ્રાન્સફર/ ઇન્ટરનેટ ડેબિટ્સ/ સ્થાયી સૂચનાઓ .ઈએમઆઈ વગેરે સામેલે છે તેના માધ્યમથી ઓછામાં ઓછા ચાર નાણાં ઉપાડ કોઈ ચાર્જીસ વગર ઉપલબ્ધ કરાવે. એ બેન્કો પર આધાર રાખશે કે એ વધારાના નાણાં ઉપાડ/ ઉપાડો માટે મફતમાં અથવા ચાર્જીસ સાથે સંમંત્તિ આપે. અલબત બૅન્ક જો, વધારાના ઉપાડ માટે ચાર્જીસ વસૂલવાનો નિર્ણય લે તો બૅન્ક દ્વારા ઉચિત, પક્ષપાતરહિત અને પારદર્શી રીતે મૂલ્યન સંરચના તૈયાર કરવામાં આવે.

બૅન્કોએ કોઈ પણ ચાર્જીસ કે એટીએમ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવો જોઈએ અને આવાં કાર્ડ્સ પર કોઈ વાર્ષિક ચાર્જીસ વસૂલવા ન જોઈએ.

એટીએમના માધ્યમથી બૅલેન્સ રકમની તપાસને એટીએમમાં મફતમાં અપાતી ચાર નાણાં ઉપાડ સુવિધામાં ન ગણવી જોઈએ.
બીએસબીડીએ ખોલતી વખતે એટીએમ ડેબિટ કાર્ડ પ્રસ્તાવિત કરવામાં આવે અને ગ્રાહક એના માટે લેખિતમાં વિનંતી કરે તો એ આપવું જોઈએ. બૅન્કે આવા ગ્રાહકોને એટીએમ ડેબિટ કાર્ડ જબરજસ્તી ન આપવું જોઈએ.
બૅન્કોએ બીએસબીડીએ ખોલતી વખતે આવા ગ્રાહકોને એટીએમ ડેબિટ કાર્ડ, એટીએમ પિન અને એની સાથે સંકળાયેલા જોખમ વિશે માહિતી આપવી જોઈએ. અલબત એ ગ્રાહક એટીએમ ડેબિટ કાર્ડ રાખવા ન માગતો હોયતો એવા ગ્રાહકને જબરજસ્તી ડેબિટ કાર્ડ આપવાની જરૂર નથી.પણ જો ગ્રાહક એટીએમ ડેબિટ કાર્ડ રાખવા માગતો હોય તો બૅન્ક તેના અન્ય ગ્રાહકોને એટીએમ ડેબિટ કાર્ડ અને પિન સોંપવા માટેની અપનાવાતી પદ્ધતિ અપનાવીને ડિલિવરી ચૅનલ્સ દ્વારા .બીએસબીડીએ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે.

હા, બીએસબીડીએધારકોને તારીખ 4 ઑકટોબર 2006 ના પરિપત્ર ક્રમાંક DBOD.No. Leg. BC.32/09.07.005/2006-07 માં અમારી આપાયેલી સૂચનાઓ મુજબ મફતમાં પાસબુકની સુવિધા અપાવી જોઈએ.

બીએસબીડીએ ખોલતી વખતે ગ્રાહક પાસેથી લિખિત રૂપે સંમતિ લેવી જોઈએ કે તેનું પ્રવર્તમાન નોન – બીએસબીડીએ સેવિંગ્સ બૅન્ક અકાઉન્ટ બીએસબીડીએ ખોલ્યાના 30 દિવસમાં બંધ કરી દેવામાં આવશે અને બૅન્ક આવા ખાતાં 30 દિવસ પછી બંધ કરવા માટે સ્વતંત્ર છે.

બીએસબીડીએમાં બૅન્કો પાસે અપેક્ષિત છે કે તેઓ એટીએમ અને અન્ય માધ્યમથી નાણાં ઉપાડ સહિત ઓછામાં ઓછી ચાર વાર મફતમાં નાણાં ઉપાડ ઉપલબ્ધ કરાવે. ચાર વાર નાણાં ઉપાડ પછી એ બૅન્ક પર આધાર રાખશે કે એ વધારાના નાણાં ઉપાડ મફતમાં આપે કે તેને માટે ચાર્જ વસૂલે. અલબત, બૅન્કો દ્વારા મૂલ્યન સંરચના ઉચિત, ભેદભાવ રહિત, પક્ષપાત રહિત અને પારદર્શી રીતે તૈયાર કરવામાં આવે.

અમારી સૂચનાઓ ધરાવતા તારીખ 25 જાન્યુઆરી 2012 ના પરિપત્ર ક્રમાંક DBOD Dir. BC 75/13.03.00/ 2011-12 મુજબ સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટના વ્યાજ દરનું વિનિયમન ‘બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપૉઝિટ અકાઉન્ટ ‘માં રહેલી ડિપૉઝિટ્સ પર લાગુ પડશે.

તારીખ 10 ઑગસ્ટ, 2012 ના DPSS. CO.CHD. No. 274/03.01.02/2012-13
મુજબ બીએસબીડીએ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાતી લઘુતમ સુવિધાઓમાં ચેકબુકની સુવિધાની પરિકલ્પના બીએસબીડીએમાં કરવામાં આવી નથી. બૅન્ક નિ:શુલ્ક ચેક બુક સુવિધા સહિત કોઈ પણ વધારાની સુવિધા (જે કિસ્સામાં ખાતું બીએસબીડીએ તરીકે જળવાઈ રહે છે) અથવા વધારાની સુવિધાઓ માટે ચાર્જીસ વસૂલવા(જે કિસ્સામાં ખાતું બીએસબીડીએ નથી હોતું) માટે સ્વતંત્ર છે.

તમામ પ્રવર્તમાન ‘નો- ફ્રિલ્સ’ અકાઉન્ટ્સને પરિપત્રની તારીખ એટલે કે 10 ઑગસ્ટ 2012 થી બીએસબીડીએ ખાતાં ગણવામાં આવે અને પરિપત્ર મુજબ પ્રવર્તમાન નો -ફ્રિલ્સ ખાતાધારકોને એટીએમ કાર્ડ જારી કરવા વગેરે જેવી નિર્ધારિત સુવિધાઓ ગ્રાહકો જ્યારે પણ સંપર્ક કરે , બૅન્ક આપી શકે છે. અલબત, એ ગ્રાહકોને જે અમારો પરિપત્ર જારી થયા પછી નવાં ખાતાં ખોલે છે,એવા ગ્રાહકો માટે ખાતાં ખોલ્યાં પછી તરત નિર્ધારિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ.
હા, આવા ગ્રાહકોએ પોતાનીં સંમતિ લેખિત રૂપમાં આપવી જોઈએ અને તેમને બીએસબીડીએમાં ઉપલબ્ધ સેવાઓની વિશેષતાઓ અને પરિમાણની માહિતી આપવી જોઈએ.

Web Content Display (Global)

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?