એટીએમ/ વ્હાઈટ લેબલ એટીએમ
જવાબ. નોન- બેન્કો દ્વારા સ્થાપિક, માલિકી અને સંચાલિત એટીએમને ડબ્લ્યુએલએ કહેવાય છે. નોન- બેન્ક એટીએમ ઓપરેટરોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ અધિકૃતિ આપવામાં આવી છે. અધિકૃત ડબ્લ્યુએલએ ઓપરેટરોની યાદી આરબીઆઈની વેબસાઈટ પર નિમ્નલિખિત લિંક ખાતે મળી રહેશેઃ https://www.rbi.org.in/Scripts/PublicationsView.aspx?id=12043
જવાબ. ગ્રાહક માટે ડબ્લ્યુએલએનો ઉપયોગ કોઈ અન્ય બેન્ક (કાર્ડ જારી કરતી બેન્ક સિવાયની બેન્ક)ના એટીએમનો ઉપયોગ જેવું જ છે, સિવાય કે ડબ્લ્યુએલએમાં રોકડ ઉપાડ અને અમુક મૂલ્યવર્ધિત સેવાઓનો સ્વીકાર મંજૂર નથી.
જવાબ. નોન- બેન્ક સંસ્થાઓને વ્હાઈટ લેબલ એટીએમ સ્થાપિત કરવા દેવાની પાછળની વ્યવહારુતા એ છે કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો સહિત વધારાની / બહેતર ગ્રાહક સેવા માટે એટીએમનો ભૌગોલિક ફેલાવો વધારવો.
જવાબ. રોકડ કઢાવવા ઉપરાંત એટીએમ / ડબ્લ્યુએલએ ગ્રાહકોને ઘણી બધી અન્ય સેવાઓ / સુવિધાઓ આપી શકે છે. આમાંથી અમુક સેવાઓ છેઃ
- અકાઉન્ટની માહિતી
- રોકડ જમા (ડબ્લ્યુએલએમાં મંજૂર નથી)
- નિયમિત બિલોની ચુકવણી (ડબ્લ્યુએલએમાં મંજૂર નથી)
- મોબાઈલ માટે રિ-લોડ વાઉચરની ખરીદી (ડબ્લ્યુએલએમાં મંજૂર નથી)
- લઘુ/ ટૂંકું નિવેદન ઊપજાવવું
- પિન બદલી
- ચેક બુકની વિનંતી
જવાબ. એટીએમ / એટીએમ કમ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડસ અને પ્રીપેઈડ કાર્ડસ જારીકર્તા દ્વારા મંજૂર અનુસાર વિવિધ લેણદેણ માટે એટીએમ / ડબ્લ્યુએલએ ખાતે ઉપયોગ કરી શકાય છે.
જવાબ. હા, 1લી નવેમ્બર, 2014થી બેન્કે તેના સેવિંગ બેન્ક અકાઉન્ટ ધારકોને એટીએમ ખાતે નીચે નુજબ મફત લેણદેણની મહત્તમ સંખ્યા આપવાનું આવશ્યક છેઃ
- કોઈ પણ સ્થળે બેન્કના પોતાના એટીએમ (ઓન- અસ લેણદેણ) ખાતે લેણદેણઃ બેન્કે તેમના સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ ધારકોને એટીએમનું સ્થળ ગમે તે હોય તો પણ મહિનામાં કમસેકમ પાંચ મફત લેણદેણ (નાણાકીય અને બિન- નાણાકીય સહિત) આપવી જોઈએ.
- મેટ્રો સ્થળે કોઈ પણ બેન્કનાં એટીએમ (ઓફફ- અસ લેણદેણ) ખાતે લેણદેણઃ એટીએમ છ મેટ્રો સ્થળ, એટલે કે, મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકતા, બેન્ગલુરુ અને હૈદરાબાદમાં સ્થિત હોય તો બેન્કોએ તેમના સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ ધારકોને મહિનામાં કમસેકમ ત્રણ મફત લેણદેણ (નાણાકીય અને બિન- નાણાકીય લેણદેણ સહિત) આપવાનું આવશ્યક છે.
- નોન- મેટ્રો સ્થળે કોઈ અન્ય બેન્કનાં એટીએમ (ઓફફ- અસ લેણદેણ) ખાતે લેણદેણઃ ઉક્ત છ મેટ્રો સ્થળો સિવાયનાં કોઈ પણ સ્થળે બેન્કોએ સેવિંગ બેન્ક અકાઉન્ટ ધારકોને અન્ય બેન્કનાં એટીએમ ખાતે મહિનામાં કમસેકમ પાંચ મફત લેણદેણ (નાણાકીય અને બિન- નાણાકીય લેણદેણ સહિત) આપવાનું આવશ્યક છે.
જવાબ. તે બીએસબીડીએને લાગુ નથી, કારણ કે બીએસબીડીએમાં ઉપાડની સંખઅયા આવા અકાઉન્ટ સાથે સંકળાયેલી શરતોને આધીન છે.
જવાબ. ગ્રાહકોએ એટીએમ/ ડબ્લ્યુએલએ ખાતે તેમની લેણદેણ સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે નિમ્નલિખિત શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ તેનું પાલન કરવું જોઈએઃ
- ગ્રાહકે સંપૂર્ણ ગોપનીયતામાં એટીએમ / ડબ્લ્યુએલએ લેણદેણ હાથ ધરવી જોઈએ.
- એક સમયે કિયોસ્કમાં ફક્ત એક કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએમાં પ્રવેશ અને પહોંચ મેળવવા જોઈએ.
- કાર્ડ ધારકે તેનું / તેણીનું કાર્ડ અન્ય કોઈના હાથમાં સોંપવું નહીં જોઈએ.
- કાર્ડ ધારકે કાર્ડ પર પિન લખી નહીં રાખવો જોઈએ.
- કાર્ડ ધારકે કોઈને પણ પિન આપવો નહીં જોઈએ.
- કાર્ડ ધારકે એટીએમમાં એન્ટર કરવામાં આવે ત્યારે કોઈને પિન જોવા નહીં દેવો જોઈએ.
- કાર્ડ ધારકે આસાનીથી અનુમાન લગાવી શકાય તેવો પિન ક્યારેય ઉપયોગ નહીં કરવો જોઈએ
- કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએમાં કાર્ડ ક્યારેય નહીં છોડી જવું જોઈએ.
- કાર્ડ ધારકે એટીએમ / ડબ્લ્યુએલએ ખાતે લેણદેણ માટે એલર્ટસ મેળવવા કાર્ડ જારી કરતી બેન્ક પાસે તેનો/ તેણીનો મોબાઈલ નંબર નોંધાવવો જોઈએ. જો અકાઉન્ટમાં કોઈ પણ અનધિકૃત કાર્ડ લેણદેણ ધ્યાનમાં આવે તો તુરંત કાર્ડ જારી કરતી બેન્કને જાણ કરવી જોઈએ
- કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએમાં કોઈ વધારાનું ડિવાઈસ/સો જોડેલાં છે/ હતાં કે તે બાબતે સતર્ક રહેવું જોઈએ અને તપાસી લેવી જોઈએ. ડિવાઈસ/સો ગ્રાહકનો ડેટા છેતરપિંડીથી મેળવવા માટે ગોઠવવામાં આવેલું હોઈ શકે છે, જે દેખાય તો તુરંત સિક્યુરિટી ગાર્ડ/ બેન્ક/ ડબ્લ્યુએલએ સંસ્થાને જાણ કરવી જોઈએ.
- કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએ આસપાસ લોકોની શંકાસ્પદ અવરજવર/રો પર નજર રાખવી જોઈએ. તે/ તેણીએ એટીએમમાં તેને/ તેણીને કોઈ વાતોમાં પરોવવાનો અથવા સંચાલનમાં સહાય/ મદદ કરવાની ઓફર કરે તેવા અજાણ્યાઓથી સાવચેત રહેવું જોઈએ.
- કાર્ડ ધારકે યાદ રાખવું જોઈએ કે બેન્કના અધિકારીઓ ક્યારેય ટેલિફોન/ ઈમેઈલ પર કાર્ડની વિગતો કે પિન પૂછતા નથી. આથી તે/ તેણીએ તેની/ તેણીની બેન્કના પ્રતિનિધિ હોવાનું જણાવીને કોઈ પણ આવા સંદેશ આપે તો તેને પ્રતિસાદ નહીં આપવો જોઈએ.
જવાબ. બેન્કોને 31 ડિસેમ્બર, 2018 પૂર્વે સર્વ મોજૂદ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડસને ઈએમવી ચિપ અને પિન કાર્ડસમાં ફેરવવા માટે સૂચના આપવામાં આવી છે. જો કાર્ડ ધારકે તેનું /તેણીનું મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ એ ઈએમવી ચિપ અને પિન કાર્ડથી બદલી નહીં કર્યું હોય તો તે/ તેણીએ તુરંત તે બદલી કરવા તેની/ તેણીની બેન્ક શાખાનો સંપર્ક કરવો જોઈએ.
આ એફએક્યુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ફક્ત માહિતી અને સામાન્ય માર્ગદર્શનના હેતુથી જારી કરવામાં આવી છે. બેન્કોને તેને આધારે લેવાયેલાં પગલાં અને / અથવા નિર્ણયો માટે જવાબદાર નહીં ઠરાવી શકાશે. સ્પષ્ટતા કે અર્થઘટન, જો કોઈ હોય તો, બેન્ક દ્વારા સમયાંતરે જારી કરાતાં સુસંગત પરિપત્રકો અને વટહુકમોનું માર્ગદર્શન લઈ શકે છે.
પેજની છેલ્લી અપડેટની તારીખ: