RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

FAQ DetailPage Breadcrumb

RbiFaqsSearchFilter

Content Type:

Category Facet

category

Custom Facet

ddm__keyword__26256231__FaqDetailPage2Title_en_US

Search Results

એટીએમ/ વ્હાઈટ લેબલ એટીએમ

જવાબ. એટીએમ કોમ્પ્યુટરાઈઝ્ડ યંત્ર છે, જે બેન્કના ગ્રાહકોને બેન્કની શાખામાં ગયા વિના રોકડ કઢાવવા અને અન્ય નાણાકીય અને બિન- નાણાકીય લેણદેણ કરવા માટે તેમના અકાઉન્ટને પહોંચની સુવિધા આપે છે.

જવાબ. નોન- બેન્કો દ્વારા સ્થાપિક, માલિકી અને સંચાલિત એટીએમને ડબ્લ્યુએલએ કહેવાય છે. નોન- બેન્ક એટીએમ ઓપરેટરોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ અધિકૃતિ આપવામાં આવી છે. અધિકૃત ડબ્લ્યુએલએ ઓપરેટરોની યાદી આરબીઆઈની વેબસાઈટ પર નિમ્નલિખિત લિંક ખાતે મળી રહેશેઃ https://www.rbi.org.in/Scripts/PublicationsView.aspx?id=12043

જવાબ. ગ્રાહક માટે ડબ્લ્યુએલએનો ઉપયોગ કોઈ અન્ય બેન્ક (કાર્ડ જારી કરતી બેન્ક સિવાયની બેન્ક)ના એટીએમનો ઉપયોગ જેવું જ છે, સિવાય કે ડબ્લ્યુએલએમાં રોકડ ઉપાડ અને અમુક મૂલ્યવર્ધિત સેવાઓનો સ્વીકાર મંજૂર નથી.

જવાબ. નોન- બેન્ક સંસ્થાઓને વ્હાઈટ લેબલ એટીએમ સ્થાપિત કરવા દેવાની પાછળની વ્યવહારુતા એ છે કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો સહિત વધારાની / બહેતર ગ્રાહક સેવા માટે એટીએમનો ભૌગોલિક ફેલાવો વધારવો.

જવાબ. રોકડ કઢાવવા ઉપરાંત એટીએમ / ડબ્લ્યુએલએ ગ્રાહકોને ઘણી બધી અન્ય સેવાઓ / સુવિધાઓ આપી શકે છે. આમાંથી અમુક સેવાઓ છેઃ

  • અકાઉન્ટની માહિતી
  • રોકડ જમા (ડબ્લ્યુએલએમાં મંજૂર નથી)
  • નિયમિત બિલોની ચુકવણી (ડબ્લ્યુએલએમાં મંજૂર નથી)
  • મોબાઈલ માટે રિ-લોડ વાઉચરની ખરીદી (ડબ્લ્યુએલએમાં મંજૂર નથી)
  • લઘુ/ ટૂંકું નિવેદન ઊપજાવવું
  • પિન બદલી
  • ચેક બુકની વિનંતી

જવાબ. એટીએમ / એટીએમ કમ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડસ અને પ્રીપેઈડ કાર્ડસ જારીકર્તા દ્વારા મંજૂર અનુસાર વિવિધ લેણદેણ માટે એટીએમ / ડબ્લ્યુએલએ ખાતે ઉપયોગ કરી શકાય છે.

જવાબ. એટીએમ/ ડબ્લ્યુએલએ ખાતે લેણદેણ માટે ગ્રાહક પાસે વેલિડ કાર્ડ અને પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (પિન) હોવા જોઈએ.
જવાબ. પિન સાંખ્યિક પાસવર્ડ છે, જે કાર્ડ જારી કરાય ત્યારે બેન્ક દ્વારા ગ્રાહકને અલગથી મેઈલથી/ હાથોહાથ મોકલવામાં આવે છે. મોટા ભાગની બેન્કો ગ્રાહકોને પ્રથમ ઉપયોગ પછી પિન બદલી કરવા કહે છે. ગ્રાહકે બેન્ક અધિકારીઓ સહિત કોઈને પિન નહીં આપવો જોઈએ. ગ્રાહકે નિયમિત અંતરે પિન બદલી કરવા જોઈએ.
જવાબ. હા, ભારતમાં બેન્કો દ્વારા જારી કાર્ડસ દેશમાં કોઈ પણ એટીએમ/ ડબ્લ્યુએલએ ખાતે ઉપયોગ કરી શકાય છે.
જવાબ. કાર્ડ જારી કરતી બેન્કના એટીએમમાં હાથ ધરાતી લેણદેણને ઓન- અસ લેણદેણ કહેવાય છે, જ્યારે કાર્ડ જારી કરતી બેન્ક સિવાયની બેન્કના એટીએમમાં હાથ ધરાતી લેણદેણ અથવા ડબ્લ્યુએલએ ખાતે લેણદેણને ઓફફ-અસ લેણદેણ કહેવાય છે. દાખલા તરીકે, જો બેન્ક અ દ્વારા જારી કરવામાં આવેલું કાર્ડ બેન્ક અ ના એટીએમમાં ઉપયોગ કરાય તો તે ઓન- અસ લેણદેણ છે. જો બેન્ક અ દ્વારા જારી કરાયેલું કાર્ડ ડબ્લ્યુએલએ ખાતે અથવા બેન્ક બ ના એટીએમમાં ઉપયોગ કરવામાં આવે તો તે ઓફફ- અપ લેણદેણ છે.

જવાબ. હા, 1લી નવેમ્બર, 2014થી બેન્કે તેના સેવિંગ બેન્ક અકાઉન્ટ ધારકોને એટીએમ ખાતે નીચે નુજબ મફત લેણદેણની મહત્તમ સંખ્યા આપવાનું આવશ્યક છેઃ

  • કોઈ પણ સ્થળે બેન્કના પોતાના એટીએમ (ઓન- અસ લેણદેણ) ખાતે લેણદેણઃ બેન્કે તેમના સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ ધારકોને એટીએમનું સ્થળ ગમે તે હોય તો પણ મહિનામાં કમસેકમ પાંચ મફત લેણદેણ (નાણાકીય અને બિન- નાણાકીય સહિત) આપવી જોઈએ.
  • મેટ્રો સ્થળે કોઈ પણ બેન્કનાં એટીએમ (ઓફફ- અસ લેણદેણ) ખાતે લેણદેણઃ એટીએમ છ મેટ્રો સ્થળ, એટલે કે, મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકતા, બેન્ગલુરુ અને હૈદરાબાદમાં સ્થિત હોય તો બેન્કોએ તેમના સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ ધારકોને મહિનામાં કમસેકમ ત્રણ મફત લેણદેણ (નાણાકીય અને બિન- નાણાકીય લેણદેણ સહિત) આપવાનું આવશ્યક છે.
  • નોન- મેટ્રો સ્થળે કોઈ અન્ય બેન્કનાં એટીએમ (ઓફફ- અસ લેણદેણ) ખાતે લેણદેણઃ ઉક્ત છ મેટ્રો સ્થળો સિવાયનાં કોઈ પણ સ્થળે બેન્કોએ સેવિંગ બેન્ક અકાઉન્ટ ધારકોને અન્ય બેન્કનાં એટીએમ ખાતે મહિનામાં કમસેકમ પાંચ મફત લેણદેણ (નાણાકીય અને બિન- નાણાકીય લેણદેણ સહિત) આપવાનું આવશ્યક છે.
જવાબ. આરબીઆઈએ એટીએમ ખાતે મફત લેણદેણની લઘુતમ સંખ્યા ફરજિયાત બનાવી છે. તે છતાં બેન્કો તેમના ગ્રાહકોને નિઃશુલ્ક લેણદેણની વધુ સંખ્યા આપી શકે છે.

જવાબ. તે બીએસબીડીએને લાગુ નથી, કારણ કે બીએસબીડીએમાં ઉપાડની સંખઅયા આવા અકાઉન્ટ સાથે સંકળાયેલી શરતોને આધીન છે.

જવાબ. મફત લેણદેણની ઉક્ત સંખ્યામાં એટીએમ ખાતે નાણાકીય અને બિન- નાણાકીય લેણદેણનો પણ સમાવેશ થાય છે.
જવાબ. એટીએમ ગોઠવતી બેન્કોને મફત લેણદેણની સંખ્યાની ઉપલબ્ધતા સંબંધમાં એટીએમની સ્થિતિ ગ્રાહકો ઓળખી શકે તે માટે યોગ્ય માધ્યમો (એટીએમ/ સ્ટિકર/ પોસ્ટર વગેરે પર પ્રદર્શિત સંદેશ)નો ઉપયોગ કરીને ‘મેટ્રો’ અથવા ‘નોન- મેટ્રો’માં એટીએમનું સ્થળ સ્થિત છે તે દરેક એટીએમ ખાતે સ્પષ્ટ સંકેત આપવાની સલાહ અપાઈ છે.
જવાબ. હા, ગ્રાહકોને મફત લેણદેણની ફરજિયાત સંખ્યા (ઉક્ત પ્રશ્ન 11ના ઉત્તરમાં આપ્યા મુજબ)થી ઉપરની એટીએમ ખાતે લેણદેણ માટે શુલ્ક લાગુ થઈ શકે છે. જોકે હાલમાં આ શુલ્ક તેની/ તેણીની બેન્ક દ્વારા લેણદેણ દીઠ મહત્તમ રૂ. 20થી (વત્તા જો કોઈ લાગુ હોય તો લાગુ કર) વધુ નહીં લાગુ કરી શકાય.
જવાબ. રોકડ ઉપાડ લેણદેણના નિમ્નલિખિત પ્રકાર માટે સેવા શુલ્ક બેન્ક પોતે નક્કી કરી શકે છેઃ (એ) ક્રેડિટ કાર્ડસના ઉપયોગ સાથે રોકડ ઉપાડ), (બી) વિદેશમાં સ્થિત એટીએમમાં રોકડ ઉપાડ).
જવાબ. પોતાની બેન્કનું એટીએમ / અન્ય બેન્કનું એટીએમ/ ડબ્લ્યુએલએ, ગમે ત્યાં કાર્ડનો ઉપયોગ કરવા પર ઉક્ત ફરિયાદ હોય તો વહેલામાં વહેલી તકે કાર્ડ જારી કરતી બેન્કને જાણ કરવી જોઈએ.
જવાબ. બેન્કોએ એટીએમ સંકુલમાં સંબંધિત અધિકારીઓનાં નામ/મો અને સંપર્ક નંબર/રો / ટોલ ફ્રી નંબરો/ હેલ્પ ડેસ્ક નંબરો પ્રદર્શિત કરવાનું આવશ્યક છે. આ જ રીતે ડબ્લ્યુએલએમાં નિષ્ફળ / વિવાદિત લેણદેણ સંબંધમાં કોઈ પણ ફરિયાદ નોંધાવવા માટે અધિકારીઓના સંપર્ક નંબરો/ ટોલ ફ્રી નંબરો/ હેલ્પલાઈન નંબરો પ્રદર્શિત કરવામાં આવે છે.
જવાબ. એટીએમ લેણદેણ નિષ્ફળ જવાના કિસ્સામાં આરબીઆઈની સૂચનાઓ ( DPSS.PD.No.2632/02.10.002/2010-2011 dated May 27, 2011) અનુસાર કાર્ડ જારી કરતી બેન્કે ફરિયાદની તારીખથી 7 કામકાજના દિવસમાં ગ્રાહકના અકાઉન્ટમાં રિ-ક્રેડિટ કરે ગ્રાહકની ફરિયાદનો ઉકેલ લાવવાનું ફરજિયાત છે.
જવાબ. હા. 1 જુલાઈ, 2011થી અમલ સાથે કાર્ડ જારી કરતી બેન્કે નિષ્ફળ એટીએમ લેણદેણ સંબંધમાં ફરિયાદની પ્રાપ્તિની તારીખથી 7 કામકાજના દિવસ પછી ગ્રાહકની રકમ રિ-ક્રેડિટ કરવામાં વિલંબ માટે દિવસના રૂ. 100ની ભરપાઈ ચૂકવવાની રહેશે. ભરપાઈ ગ્રાહક દ્વારા કોઈ પણ દાવો કર્યા વિના ગ્રાહકના અકાઉન્ટમાં જમા કરવાની રહેશે. જોકે ભરપાઈ માટે પાત્ર બનવા ગ્રાહકે લેણદેણના 30 દિવસમાં ફરિયાદ નોંધાવવાનું આવશ્યક છે.
જવાબ. બેન્ક પાસેથી જવાબ પ્રાપ્ત થયાના 30 દિવસમાં અથવા ફરિયાદ નોંધાવ્યાના 30 દિવસમાં બેન્ક પાસેથી જવાબ પ્રાપ્ત નહીં થવાના સંજોગોમાં ગ્રાહક બેન્કિંગ લોકપાલ પાસે જઈ શકે છે. બેન્કિંગ લોકપાલના કાર્યાલયની વિગતો આ લિંક પરથી મળી રહેશેઃ https://rbi.org.in/Scripts/AboutUsDisplay.aspx?pg=BankingOmbudsmen.htm
જવાબ. કાર્ડની વેલિડિટી ખતમ થાય અથવા અંતર્ગત અકાઉન્ટ બંધ થાય તો તેનો નિકાલ કરવા પૂર્વે લોહચુંબકીય પટ્ટી/ ચિપ થકી તેના ચાર ટુકડા કરી નાખવા જોઈએ.

જવાબ. ગ્રાહકોએ એટીએમ/ ડબ્લ્યુએલએ ખાતે તેમની લેણદેણ સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે નિમ્નલિખિત શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ તેનું પાલન કરવું જોઈએઃ

  • ગ્રાહકે સંપૂર્ણ ગોપનીયતામાં એટીએમ / ડબ્લ્યુએલએ લેણદેણ હાથ ધરવી જોઈએ.
  • એક સમયે કિયોસ્કમાં ફક્ત એક કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએમાં પ્રવેશ અને પહોંચ મેળવવા જોઈએ.
  • કાર્ડ ધારકે તેનું / તેણીનું કાર્ડ અન્ય કોઈના હાથમાં સોંપવું નહીં જોઈએ.
  • કાર્ડ ધારકે કાર્ડ પર પિન લખી નહીં રાખવો જોઈએ.
  • કાર્ડ ધારકે કોઈને પણ પિન આપવો નહીં જોઈએ.
  • કાર્ડ ધારકે એટીએમમાં એન્ટર કરવામાં આવે ત્યારે કોઈને પિન જોવા નહીં દેવો જોઈએ.
  • કાર્ડ ધારકે આસાનીથી અનુમાન લગાવી શકાય તેવો પિન ક્યારેય ઉપયોગ નહીં કરવો જોઈએ
  • કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએમાં કાર્ડ ક્યારેય નહીં છોડી જવું જોઈએ.
  • કાર્ડ ધારકે એટીએમ / ડબ્લ્યુએલએ ખાતે લેણદેણ માટે એલર્ટસ મેળવવા કાર્ડ જારી કરતી બેન્ક પાસે તેનો/ તેણીનો મોબાઈલ નંબર નોંધાવવો જોઈએ. જો અકાઉન્ટમાં કોઈ પણ અનધિકૃત કાર્ડ લેણદેણ ધ્યાનમાં આવે તો તુરંત કાર્ડ જારી કરતી બેન્કને જાણ કરવી જોઈએ
  • કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએમાં કોઈ વધારાનું ડિવાઈસ/સો જોડેલાં છે/ હતાં કે તે બાબતે સતર્ક રહેવું જોઈએ અને તપાસી લેવી જોઈએ. ડિવાઈસ/સો ગ્રાહકનો ડેટા છેતરપિંડીથી મેળવવા માટે ગોઠવવામાં આવેલું હોઈ શકે છે, જે દેખાય તો તુરંત સિક્યુરિટી ગાર્ડ/ બેન્ક/ ડબ્લ્યુએલએ સંસ્થાને જાણ કરવી જોઈએ.
  • કાર્ડ ધારકે એટીએમ/ ડબ્લ્યુએલએ આસપાસ લોકોની શંકાસ્પદ અવરજવર/રો પર નજર રાખવી જોઈએ. તે/ તેણીએ એટીએમમાં તેને/ તેણીને કોઈ વાતોમાં પરોવવાનો અથવા સંચાલનમાં સહાય/ મદદ કરવાની ઓફર કરે તેવા અજાણ્યાઓથી સાવચેત રહેવું જોઈએ.
  • કાર્ડ ધારકે યાદ રાખવું જોઈએ કે બેન્કના અધિકારીઓ ક્યારેય ટેલિફોન/ ઈમેઈલ પર કાર્ડની વિગતો કે પિન પૂછતા નથી. આથી તે/ તેણીએ તેની/ તેણીની બેન્કના પ્રતિનિધિ હોવાનું જણાવીને કોઈ પણ આવા સંદેશ આપે તો તેને પ્રતિસાદ નહીં આપવો જોઈએ.
જવાબ. ગ્રાહકે કાર્ડ ગેરવલ્લે/ ચોરી થયાનું જણાતાં તુરંત કાર્ડ જારી કરતી બેન્કનો સંપર્ક કરવો જોઈએ અને કાર્ડ બ્લોક કરવા બેન્કને વિનંતી કરવી જોઈએ.
જવાબ. મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ એ કાર્ડની અંદરની મેગ્નેટિક સ્ટ્રાઈપ પર કાર્ડનો ડેટા સંગ્રહ કરે છે, જ્યારે ઈએમવી ચિપ અને પિન કાર્ડમાં ડેટા ચિપમાં સંગ્રહ હોય છે. ઈએમવી ચિપ અને પિન કાર્ડસ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડસની તુલનામાં સુરક્ષિત માનવામાં આવે છે.

જવાબ. બેન્કોને 31 ડિસેમ્બર, 2018 પૂર્વે સર્વ મોજૂદ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડસને ઈએમવી ચિપ અને પિન કાર્ડસમાં ફેરવવા માટે સૂચના આપવામાં આવી છે. જો કાર્ડ ધારકે તેનું /તેણીનું મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ એ ઈએમવી ચિપ અને પિન કાર્ડથી બદલી નહીં કર્યું હોય તો તે/ તેણીએ તુરંત તે બદલી કરવા તેની/ તેણીની બેન્ક શાખાનો સંપર્ક કરવો જોઈએ.


આ એફએક્યુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ફક્ત માહિતી અને સામાન્ય માર્ગદર્શનના હેતુથી જારી કરવામાં આવી છે. બેન્કોને તેને આધારે લેવાયેલાં પગલાં અને / અથવા નિર્ણયો માટે જવાબદાર નહીં ઠરાવી શકાશે. સ્પષ્ટતા કે અર્થઘટન, જો કોઈ હોય તો, બેન્ક દ્વારા સમયાંતરે જારી કરાતાં સુસંગત પરિપત્રકો અને વટહુકમોનું માર્ગદર્શન લઈ શકે છે.

Web Content Display (Global)

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો.

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?