રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) – આજીવિકા – વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના
ભારિબેં/2015-2016/420 09 જુન 2016 અધ્યક્ષ / પ્રબંધક નિર્દેશક પ્રિય મહોદય / મહોદયા, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) – આજીવિકા – વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના કૃપા કરીને 21 જાન્યુઆરી 2016 નો અમારો પરિપત્ર નાસવિવિ.જીએસએસડી.કેકા.બીસી.સં. 19/09.01.03/2015-16 જુઓ, જેની સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) ની અંતર્ગત વ્યાજ સબવેન્શન (છૂટ) યોજના પર માર્ગદર્શિકા સંલગ્ન કરવામાં આવેલ હતી. 2. યોજનામાં આંશિક સુધારો કરતા ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારે તારીખ 23 મે 2016 ના તેના પત્ર દ્વારા સૂચિત કરેલ છે કે પેરા I. xii (અનુબંધ – III થી V) માં આપવામાં આવેલ વ્યાજ સબવેન્શન દાવા પ્રમાણપત્રોમાં ખંડ “કોઈ માનવીય હસ્તક્ષેપ નથી” ની જગ્યાએ “ન્યૂનતમ માનવી હસ્તક્ષેપ” ખંડ રાખવામાં આવે. ભવદીયા (ઉમા શંકર) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: